Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

20મીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિધાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરશે

વિધાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ: કાલુપુર રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના

 

અમદાવાદ : આગામી 20મી જાન્યુઆરીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશના વિધાર્થી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

 ગુજરાતના અલગ અલગ જિલ્લાના તાલુકાના વિધાર્થીઓ અમદાવાદ સ્થિત કાલુપુર રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે વિધાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો.હતો

  વિધાર્થીઓ દ્વારા દેશની સાંપ્રત સ્થિત તેમજ અર્થતંત્ર કલાઇમેન્ટ ચેન્જ તેમજ વિધાર્થીઓમાં રહેલા પરીક્ષાના ડર વિષે પણ વિવિધ પ્રશ્નો તૈયાર કર્યા છે. શહેર સહીત દેશભરના વિધાર્થીઓ પરીક્ષાથી હતાશ થઇને જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે કાર્યક્રમ ખુબજ મહત્વનો સાબિત થશે. ઉપરાંત પ્રથમ વખત ઘટનાના વિદ્યાર્થીઓ સાક્ષી બનશે. જેમાં સવાલ વિધાર્થીઓના હશે અને જવાબ દેશના વડાપ્રધાન આપશે.

(11:04 pm IST)