Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

બોરસદના અમીયાદ નજીક મહી કેનાલમાં ગાબડાં: તિરાડ લીકેજ થતા આજુબાજુના ખેતરમાં પાણી ફરી વળ્યું

બોરસદ: તાલુકાના અમીયાદ પાસેથી પસાર થતી મહિકેનાલમાં ઠેર-ઠેર ગાબડા અને તિરાડોને પગલે લીકેજ થતુ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળી ખેડુતોને લાખો રૂપીયાનું નુકશાન થઈ રહ્યું હોવાની સ્થાનીક ખેડુતોમાં ફરીયાદો ઉઠવા પામી છે.

બોરસદ તાલુકાના અમીયાદ ગામ પાસેથી પસાર થતી મહીકેનાલ કુવા સહિત કેનાલમાં તિરાડો અને ગાબડાઓને કારણે કેનાલમાં છોડવામાં આવતું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળી રહ્યું છે. જેને પગલે આજુબાજુ ૧૦૦થી વધુ વિઘા જમીનો ઉપર કેનાલનું પાણી ફરી વળતાં સ્થાનીક ખેડુતોના મહામુલા પાકને નુકશાન થઈ રહ્યું હોવાની સ્થાનીક ખેડુતોમાં બુમ ઉઠવા પામી છે. 

 

(5:42 pm IST)