Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

નાગપુર અધિવેશનમાં ભાનુબેન સહિત ગુજરાતના ૨૫૦ પ્રતિનિધિઓ

રાજકોટ તા.૧૮: રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાનાં મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું છે કે ૧૯-૨૦ જાન્યુઆરીએ નાગપુર ખાતે ભારતીય જનતા પાટી અનુ.જાતિ મોરચા રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. જેમાં આગામી લોક સભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદીની સરકાર ફરીથી બનાવવા દેશમાં અનુ.જાતિનું ભાજપને વધુમાં વધુ સમર્થન મળે તે માટે આ અધિવેશનમાં મંથન કરી કાર્યક્રમો નક્કી થશે.

અધિવેશનમાં ગુજરાતમાંથી ભાનુબેન બાબરીયા, શંભુપ્રસાદ ટુંડીયા, હિતેષ કનોડીયા, રમણલાલ વોરા, આત્મારામ પરમાર, ગોત્તમ ગેડીયા સહિતનાં ૨૫૦ પ્રતિનિધિઓ રવાના થયા છે.

રાષ્ટ્રીય અધિવેશનમાં શ્રી અમિતભાઇ શાહ, શ્રી નીતિન ગડકરી, માન.શ્રી થાવરચંદ ગેહલોત, રામલાલજી, રામ માધવ અને માન. ભુપેન્દ્ર યાદવ સહિતના આગેવાનો માર્ગદર્શન આપવાના છે.

(3:22 pm IST)