Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

પાટીદાર છાત્રો માટે હોસ્ટેલ બનાવો:ક્રીમીલેયર મર્યાદા 8 લાખ અને સ્પર્ધાત્મક પરીક્ષાની વયમર્યાદા 40 વર્ષથી કરવા માંગણી

પૂર્વ પાસ કન્વિનર દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો

અમદાવાદ :પૂર્વ પાસ કન્વિનર દિનેશ બાંભણીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને પત્ર લખ્યો છે  પત્રમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની બનાવાની માંગ સાથે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ક્રિમીલેયર મર્યાદા 8 લાખની કરવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષમાં બીજા રાજ્યોની જેમ વય મર્યાદા 40 વર્ષની કરવા માંગણી કરી છે

 આ ઉપરાંત લોન અરજીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે બાંભણીયાએ જણાવ્યુ હતુ બિન અનામત વર્ગના નિગમ અને આયોગના વિલંબથી વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી સમયમાં તેના માંગોને નહી સ્વીકારવામાં આવેતો આંદોલન કરવામાં આવશે.

(11:18 pm IST)