Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સુરત મનપાએ APMCના સંચાલકોને નોટિસ પાઠવી ; છેલ્લા સાત વર્ષથી મિલકત વેરો ભરપાઇ કર્યો નથી

મનપાને રૂપિયા 1.81 કરોડ જેટલી માતબર રકમ વસુલવાની બાકી

સુરત મનપા દ્વારા APMCના સંચાલકોને નોટિસ પાઠવાઈ છે આ નોટિસ બાકી મિલકતવેરો વસૂલ કરવાને લઇને પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે APMC દ્વારા છેલ્લા 7 વર્ષથી મનપાનો મિલકતવેરો ભરપાઇ કર્યો નથી. મિલકતવેરો ભરપાઇ કરવાને બદલે APMC ના સંચાલકો યુઝર્સ ચાર્જીસ ની રકમ બાદ કરીને વેરો ભરવામાં આવે છે.

પરંતુ હજુ પણ APMC પાસેથી મનપાને રૂપિયા 1.81 કરોડ જેટલી માતબર રકમ વસુલવાની બાકી રહી ગઈ છે. જેથી મનપાએ નોટિસ પાઠવીને જલ્દીથી જલ્દી બાકી રહેલો મિલકતવેરો ભરપાઇ કરવામાં આવે તે અંગે નોટિસ પાઠવી છે.

સાથો સાથ વોરન્ટની પણ બજવણી કરી છે. ત્યાર હવે એ જોવાનું રહેશે કે APMC દ્વારા ક્યારે મનપાનો બાકી મિલકતવેરો ભરપાઇ કરવામાં આવશે.

(2:52 pm IST)