Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

સુરતના ગોડાદરામાં નાણાકીય તકલીફ અનુભવતા શખ્સે મોતનેવહાલુ કરી જીવનલીલા સંકેલી લીધી

સુરત : શહેરનાગોડાદરામાં નાણાકીય તકલીફમાં યુવાને જ્યારે અમરોલીમાં એકલવાયુ જીવન તથા આર્થિક તકલીફમાં પ્રોઢે  ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં આસપાસનગર પાસે પ્રકાશનગરમાં રહેતો 25 વર્ષીય અનિલ મણીલાલ આહિરે ગત તા.14મીએ મોડી રાતે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. પોલીસે કહ્યુ કે અનિલ મુળ મહારાષ્ટ્રના સિરપુરનો વતની હતો. તે ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. તે પરિવારનું ગુજરાન ચલાવવા રીક્ષા ચલાવતો હતો. જોકે તેને નાણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલુ ભર્યુ હતુ. આ અંગે ગોડદારા પોલીસે તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં અમરોલીમાં છાપરાભાઠા પાસે આશ્રમ નજીક રહેતા ૫૫ માનસીંગ ઉર્ફે ભગતે સોમવારે સવારે  પતરાના શેડના લોખંડના ગડર સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી. પોલીસે કહ્યુ કે માનસીંગભાઇ મુળ રાજસ્થાનના વતની હતા. તે છુટક મજુરી કામ કરતા હતા. એકલવાયા જીવનથી કટાંળી અને આર્થિક તકલીફ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.

 

(5:55 pm IST)