Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

તા.10 ડીસેમ્બર થી18 ડીસેમ્બર દરમ્યાન વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે

સરધાર ગામે નવ્ય ભવ્ય સ્વામિનારાયણ, મંદિરમા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 1000 કુંડી મહાવિષ્ણુયાગ, 108 સંહિતા પાઠ, અન્નકુટોત્સવ, શાકોત્સવ, મેડિકલ કેમ્પ, દિવ્ય પ્રદર્શન, અખંડ ધૂન, સાંસ્કૃતિ કાર્યક્રમ વગેરે અનેક કાર્યક્રમો

રાજકોટ તા.17 સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પાંચસો પરમહંસોના ચરણરજથી પુનિત થયેલ અને જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીંય મોટું મંદિર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા તે તીર્થભૂમિ સરધારમાં સદગુરુ નિત્યસ્વરુપદાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત શિખરબદ્ધ  ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કામ પૂરુ થયુ છે.

        જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી સંવત 2078  માગશર સુદ 7 થી 15 પુનમ તા. 10-12-2021 થી 18-12-21,સુધી ભવ્યતાથી ભવ્ય રીતે ધામધૂમથી ઉજવાશે     

        ભગવાન  શ્રી સ્વામિનારાયણ  અનેકવાર સરધાર  પધારી  ચાર ચાર માસ રોકાઇને અનેક ઐશ્વર્ય યુકત લીલા ચરિત્રો કર્યા છે. તેમજ જન્માષ્ટમી, દિવાળી, અન્નકુટોત્સવ જેવા અનેક ઉત્સવો ઉજવી ઉત્સવોની પરંપરા વહેતી કરી છે.

        સદગુરુ રામાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ પણ સરધારમાં થયો છે. આ સરધારમાં મીન સરોવર, દરબાર ગઢ, લીંબવૃક્ષ, હરિપૂજિત શીવજી, રામાનંદ સ્વામીનું નિવાસ સ્થાન વગેરે તીર્થસ્થાનો રહેલા છે.

        આવા મહિમાવંત તીર્થસ્થાન સરધારને આંગણે સદ્ગુરુ નિત્યસ્વરુપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી સમગ્ર સત્સંગસમાજના સહકારથી પાંચ શિખરસહિત 70 હજાર ઘન ચો.ફુટમાં બંસી પહાડ પત્થરમા 99+155 ફુટના ઘેરાવાળું અને 81 ફુટ ઉંચાઇવાળું મંદિર સંપ્રદાયના નજરાણાંરુપ બનેલ છે.

આ મંદિરમાં 16 ઘુમ્મટ અને 108 સ્થંભ તેમજ 108 કમાન સહિત ભવ્ય મંદિર તૈયાર થયું છે.

        શ્રી નિત્યસ્વરુપદાસજી સ્વામી દ્વારા જગન્નાથપુરી, મહુવા, ભાવનગર, વિદ્યાનગર, મુંબઇ (ડોંબીવલી) વગેરે સ્થાનોમાં ભવ્ય શિખરબંધ મંદિરો તૈયાર થઇ રહ્યા છે. ઉપરાંત 100 જેટલા હરિમંદિરો નિર્માણ થયા છે. આ ઉપરાંત 1000 થી વધુ કોલિજીયન વિદ્યાર્થીઓને વિના મુલ્ય જમવા રહેવા વગેરેની સુવિધાયુક્ત છાત્રલયો પણ તૈયાર કરાયા છે. તેમણે 500 થી વધુ કથા પારાયણો, 40 જેટલી સત્સંગ શિબિરો, 16 યુવા મહોત્સવો, 13 જેટલી સ્પેશ્યલ ટ્રેનોમાં હરિભકતોને યાત્રા કરાવી છે.

        આ મહોત્સવમાં 1000 કુંડી યજ્ઞ સાથે શાકોત્સવ, 108 સંહિતા પાઠ, મેડિકલ કેમ્પ રાખેલ છે.

આ ઉત્સવની શરુઆતે તા,10 ડિસેમ્બર રોજ અખંડ ધૂન શરુ થશે. જેનો પ્રારંભ સ્વામી ભકિતસંભવદાસજી અમરેલી, સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી બગસરા અને પૂર્ણસ્વરુપદાસજી સ્વામી સરધાર કરાવશે.

        ધૂન બાદ ઉત્સવ શુભારંભે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ, સ્વામી મોહનપ્રસાદદાસજી ધોરાજી અને હરિવલ્લભદાસજી સ્વામી અમરોલી  આશીર્વાદ આપશે.

        મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટ, હરિવલ્લભદાસજી સ્વામી  અમરોલી, શા.માધવપ્રિયદાસજી સ્વામી છારોડી, ઇશ્વરચરણદાસજી સ્વામી કુંડળ, નૌતમપ્રકાશદાસજીસ્વામી વડતાલ, લક્ષ્મીપ્રસાદાસદાસજી સ્વામી બગસરા, દેવનંદદનદાસજી સ્વામી જુનાગઢ, દેવપ્રકાશદાસજી સ્વામી વડતાલ, નિલંકઠચરાણ દાસજી સ્વામી જેતપુર, ધર્મપ્રિયદાસજી સ્વામી –બાપુ સ્વામી ધંધુકા, હરિજીવનદાસજી સ્વામી ગઢડા, કોઠારી  વિરક્તસ્વરુપદાસજી સ્વામી કરશે.

        દિપ પ્રાગટ્ય હરિવલ્લભદાસજી સ્વામી અમરોલી, સંતવલ્લભદાસજી સ્વામી વડતાલ, લક્ષ્મીનારાયણદાસજી સ્વામી ગઢડા, પ્રેમસ્વરુપદાસજી સ્વામી જૂનાગઢ, હરિકેશવદાસજી સ્વામી ધોલેરા, બાલકૃષ્ણદાસજી સ્વામી ફણેણી, મોહનપ્રસાદદાસજી સ્વામી ધોરાજી, સત્સંગભૂષણદાસજી સ્વામી કણભા, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી મેતપુર, આનંદસ્વરુપદાસજી સ્વામી સરધાર, ભકિતતનયદાસજી સ્વામી મહુવા, દેવપ્રસાદદાસજી વંથળી, ભક્તિજીવનદાસજી સ્વામી હરિયાળા, હરિસેવાદાસજી સ્વામી વસઇ, પાર્ષદ લાલજી ભગત, જ્ઞાનબાગ વડતાલ દીપ પ્રાગટ્ય કરશે. 

        તા.13-12-21 ના રોજ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે રામકૃષ્ણદાસજી સ્વામી ધ્રાંગધ્રા, હરિપ્રિયદાસજી સ્વામી સુરત, સંતદાસજી સ્વામી આટકોટ, પુરુષોત્તમચરણદાસજી સ્વામી રામપુરા, કે.પી. સ્વામી ભાવનગર, પ્રભુચરણદાસજી સ્વામી સુરત ગુરુકુલ, શુકદેવપ્રસાદદાસજી સ્વામી નાર અને બ્રહ્મસ્વરુપદાસજી સ્વામી સરધાર ઉપસ્થિત રહેશે.

        સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ન્યાલકરણ ગ્રુપ વડોદરાના નાનજીભાઇ ગાંગજીભાઇ ગોળવીયા,  સહ યજમાન ડુંગરશીભાઇ ગોપાળભાઇ નિસર, કથાના યજમાન અશોકભાઇ ઇશ્વરભાઇ પટેલ, કથાના સહ યજમાન પરશોત્તમભાઇ ઘુસાભાઇ ભંડેરી વેળાવદર, યજ્ઞના યજમાન તળશીભાઇ ગોરધનભાઇ  ભીકડીયા, યજ્ઞના સહયજમાન અ.નિ. રવજીભાઇ જીણાભાઇ, મહાપૂજાના યજમાન પ્રવિણભાઇ  પરશોત્તમભાઇ સાપરિયા, મૂર્તિપ્રતિષ્ઠાના યજમાન માનસેતા આશિષભાઇ રમેશભાઇ, ધર્મકુળ પૂજન યજમાન અ.નિ.મોહનભાઇ માધાભાઇ ભંડેરી, સંતપૂજનના યજમાન અ.નિ. નાથાભાઇ ઘુસાભાઇ નાકરાણી ભેંસાણ વગેરે રહેલ છે.

મંગળ ઉત્સવના કાર્યક્રમની રુપરેખા આ  પ્રમાણે છે.

તા.10 -12 ડિસેમ્બરના રોજ સવારે પોથી યાત્રા, અખંડ ધૂન, મહોત્સવ ઉદઘાટન, દિપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને 10-30 વાગ્યે કથા પ્રારંભ

તા.11-12 ડિસેમ્બર સવારે 8 કલાકે યજ્ઞ પ્રારંભ. સાંજે ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ, રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

તા.12 – ડિસેમ્બર સાંજે પાંચ વાગે શોભાયાત્રા, અને રાતે 9 કલાકે જાદુગર અમિત સોલંકી

તા.13- ડિસેમ્બર બપોર મૂર્તિ પ્રતિષ્ઠા અને ત્યારબાદ યજ્ઞની પૂર્ણાહુતિ અને મંદિર ઉદ્ઘાટન અને નૃત્ય

તા. 14- ડિસેમ્બર સાંજે દિક્ષા મહોત્સવ, પટ્ટાભિષેક મહોત્સવ અને રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ

તા.15- ડિસેમ્બર સવારે 10 કલાકે મહામંત્ર પ્રાગટ્યોત્સવ રાતે ભજન સંધ્યા

તા.16 -ડિસેમ્બર સાંજે અન્નકુટોત્સવ રાતે હાસ્ય લોક ડાયરો,

તા17- ડિસેમ્બર સવારે ફુલદોલોત્સવ રાસોત્સવ અને રાતે કીર્તન સંધ્યા

તા.18.- શનિવારે બપોરે 12 કલાકે મહોત્સવની પૂર્ણાહૂતિ, યજ્ઞના આચાર્ય રવિન્દ્રભાઇ જોષી રહેલ છે. આ પ્રસંગે કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ, મોહનભાઇ કુંડારીયા સાંસદ રાજકોટ, રમેશભાઇ ધડુક સાંસદ, નારણભાઇ કાછડીયા સાંસદ, રામભાઇ મોકરીયા સાંસદ, જયેશભાઇ રાદડીયા ધારાસભ્ય, કુંવરજીભાઇ બાવળિયા ધારાસભ્ય, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય, વગેરે પધારશે. ઉપરાંત સરકારી કર્મચારીઓમાં અરુણ મહેશબાબૂ રાજકોટ કલેક્ટર, અમિત અરોરા મ્યુનિ. કમિશ્નરશ્રી, મનોજ અગ્રવાલ પોલિસ કમિશ્નર રાજકોટ, વગેરે પધારશે. આ ઉત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય સાથે લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજ અને ગાદીવાળા પણ પધારશે.

વિશેષ અતિથિ તરીકેમુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી પણ ઉપસ્થિત રહેશે.

ચેરમેન શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી, ડો.સંતવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં નિત્યસ્વરુપદાસજી સ્વામીએ આચાર્ય મહારાજશ્રીને ઉત્સવની પત્રિકા અર્પણ કરી ત્યારે પત્રિકા જોઇને મહારાજશ્રી ખૂબજ  ખુશી થયા હતા.

ઉપરોક્ત ઉત્સવમાં સૌ હરિભકતો પધારે એવી નિત્યસ્વરુપદાસજી સ્વામીએ વિનંતી કરેલ છે. તેમ સરધાર મંદિર કોઠારી વિરક્તદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

(1:51 pm IST)