Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

કાલે ગાંધીનગર જિલ્લાની ગ્રામ યાત્રાનો અડાલજથી પ્રારંભ

રાજકોટ : રાજય સરકારના માર્ગદર્શન મુજબ ના ૧૮ થી ર૦ રાજયના ગ્રામીણ ક્ષેત્રોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાનાર છે. ગાંધીનગર જિલ્લામાં ૪૧ હજાર લાખથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થશે. જિલ્લા પંચાયતની ર૮ બેઠકોના વિસ્તારમાં બે રથ ફરશે તેનો પ્રારંભ કાલે તા. ૧૮મીએ સવારે જગન્નાથ મંદિર, અડાલજ ખાતેથી થશે. આયોજન અંગેની બેઠકમાં કલેકટર કુલદીપ આર્ય, ડી.ડી.ઓ. સુરભિ ગૌતમ નિવાસ અધિક કલેકટર રીતુ સીંગ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દેવાંગીબેન દેસાઇ પ્રાંત અધિકારી જે.એમ. ભોરણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:51 pm IST)