Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

જિયોરપાટી ગામમાં દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરું મુકાયું,પાંજરાની લટાર મારી દીપડો ચાલ્યો ગયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં શનિવારે રાત્રે દીપડા એ વાછરડીનુ મારણ કરતા ગ્રામજનોએ તત્કાલ પાંજરું મુકવા રાજપીપળા વન વિભાગને ટેલિફોનિક જાણ કરી હતી છતાં વન વિભાગ દ્વારા કોઈજ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ સોમવારે સાંજે વન વિભાગે પાંજરું ગોઠવતા ગ્રામજનોએ હાશકારો મેળવ્યો હતો.

જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ પાંજરું મુક્યા બાદ દીપડો પાંજરા ની આસપાસ લટાર મારી ચાલ્યો ગયો હોવાનું તેના પગલાં દેખાતા જણાઈ આવ્યું છે પરંતુ પાંજરા ના ફેરા મારી દીપડો નાસી છૂટ્યો હતો અને અંદર મૂકેલું મારણ પણ દીપડાએ અડકયું ન હતું.માટે હજુ પણ ગ્રામજનો માં દીપડા બાબતે ભય યથાવત છે.

(10:19 pm IST)