Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભાદરવાદેવ માનતા પૂરી કરવા જતાં સંઘ ને ભોજનની સુવિધા પુરી પાડતું સુરવીર ભાથીજી ગ્રૂપ,ડેડિયાપાડા

(ભરત શાહ દ્વારા રાજપીપળા : કારતક સુદ અગિયાસ થી કારતક સુદ ચૌદસ ના ચાર દિવસ વિવિધ ગામ,જિલ્લા અને તાલુકામાંથી પોતાની માનતા પૂરી કરવા વાજતે ગાજતે અને લાકડાનો ભાથીજીનો ઘોડો બનાવી  દેડીયાપાડા થઈ ભાદરવા સુધી જતા મોટા મોટા સંઘ વિવિધ વેશભૂષા સાથે ચાલતા નીકળે છે.

વિવિધ સ્વયંસેવકો દ્વારા રસ્તે મંડપ ના સ્ટોલ બાંધી એમના માટે ચા નાસ્તો અને જમવાની સુવિધા ઊભી કરવામાં આવે છે.ત્યારે ડેડિયાપાડા ના સુરવીર ભાથીજી ગ્રૂપ ના સ્વયં સેવક પરેશ તડવી અને એમની ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષ થી માનતા પૂરી કરવા જતાં સંઘોને ચાહ, નાસ્તો અને જમવાની સુવિધા આપવામાં આવે છે ત્યારે આ સરાહનીય બાબત છે.

(10:16 pm IST)