Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

ગુજરાતની સોસાયટીઓમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની અપીલ કરતો રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ : જોકે આ મેસેજ છ મહિના જૂનો હોવાનો ખુલાસો

રાજકોટ::::ગુજરાતની સોસાયટીઓમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની અપીલ કરતો રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે  સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ  થયો છે.જોકે આ મેસેજ છ મહિના જૂનો હોવાનો ખુલાસો આરોગ્ય મંત્રી દ્વારા કરાયો છે.

             રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે "સોસાયટી ના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રી નો સંદેશ" સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

              આ સંદેશમાં વધુમાં જણાવાયું છે કે,સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી શ્રી ને  વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે ! , બહાર થી આવતા કોઇપણ તમારા સગાસંબંધી , મિત્રો ને તમારા ઘરે આવવાની સ્પષ્ટ ના પાડો , કોઇ વિદેશ થી સોસાયટી મા આવેલ હોય તો તેની જાણ પણ સરકાર શ્રી ને કરો, કોરોના કેટલો ગંભીર છે ધ્યાન રાખશો, સરકારી અધઁસરકારી સ્કુલો , જીમ ને ખાલી કરીને હોસ્પીટલ મા ફેરવવા ના આદેશ નીકળી ચુક્યા છે, એટલે સોસાયટી મા ક્રિકેટ રમતા , રાત્રે ગંજીપતે અથવા ગેમ રમતા,રાત્રી વોકીંગ કરતા કે પાડોશી ને ત્યાં મીટીંગો કરીને બેસતા લોકો ને સમજાવો અને ઘર મા જ પુરાઇ રહેવા સમજાવો, જો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખશ્રીઑ કડક પગલાં લેશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકશે, ક્યાંક એવું ના બને કે આગામી સમય માં તમારા જ પાડોશી કે સોસાયટી માં શંકાસ્પદ કેસ આવે અને મોડું થય જાય તો પ્રમુખ તરીકે આપને મળેલા હક અને ફરજો ધ્યાનમાં રાખીને સોસાયટી પાસે અમલ કરાવી આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવા નો આજ યોગ્ય સમય છે.

લાખો ની વસ્તી ધરાવતા શહેરો માં આપની શેરીઓ સુધી ફરજ પરના અધિકારીઓ ને આવવું પડે એ આપડા માટે શરમ જનક બાબત હોય, તો  જો ૫૬ ની છાતીવાળો આપણો વડાપ્રધાન જો ઘર મા રહેવાની સલાહ આપતા હોય તો સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે, સોસાયટી ના ચેરમેન/ સેક્રેટરી એલટઁ થઇને યોગ્ય પગલા લેશો.... આભાર .આપનો સહદય કિશોર કાનાણી (કુમાર) આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર તેમ લખ્યું છે.

              શું કહે છે કુમાર કાનાણી ?

 

             જોકે આ અંગે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ "અકિલા"ને જણાવ્યું હતું કે, આ મેસેજ છ મહિના જૂનો છે. ગુજરાતમાં જ્યારે લોકડાઉન હતું ત્યારનો આ મેસેજ  છે. સોશિયલ મીડિયામાં લોકો આવા જુના મેસેજ વાયરલ કરીને ટાઇમપાસ કરે છે. ત્યારે પણ આ મેસેજ ખોટો હતો અને આજે પણ આ મેસેજ ખોટો છે મેં આવી કોઈ અપીલ ક્યારેય કરી જ નથી.

(10:36 am IST)