Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

રાજપીપળા સહિત કેવડીયા કોલોનીમાં નવા વર્ષે પણ કોરોનાનું સંક્રમણ અટકતું નથી: નવા 2 કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં સોમવારે નવા વર્ષના દિવસે પણ 2 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ.કશ્યપના જણાવ્યા મુજબ એક કેસ કેવડીયા કોલોની જ્યારે એક કેસ રાજપીપળાના વિસાવાગા વિસ્તારનો મળી જિલ્લામાં અત્યારસુધી કુલ- 1383 કોરોના પોઝીટીવ કેસ થયા છે જે પૈકી 1355 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે, જયારે 3 વ્યક્તિઓના મોત થયા છે.આજે નવા 181 સેમ્પલ ચકસણી માટે મોકલવામાં આવ્યા છે.આમ નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી જ રહ્યું છે ત્યારે લોકો કોવિડના નિયમોનું યોગ્ય પાલન કરે એ જરૂરી છે નહીં તો જિલ્લામાં આ સંક્રમણ ઘટે નહીં તેમ લાગી રહ્યું છે.

(11:11 pm IST)