Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વિધાનસભા અધ્યક્ષ ભાજપના કાર્યક્રમમાં હાજર રહેતા વિવાદ

ભાજપની સંકલ્પ યાત્રામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેજ પર જોવા મળ્યા

અમદાવાદ : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને લઈને સર્જાયો છે વિધાનસભાના અધ્યક્ષ હોવાથી કોઈ રાજકીય પક્ષના કાર્યક્રમમાં હાજરી ન આપી શકાય. પરંતુ રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા વિવાદ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા.

   જો કે વિવાદ સર્જાતા તેમણે આ કાર્યક્રમમાં પ્રવચન કરવાનું ટાળ્યું હતું. આ તરફ નાયબ મુખ્યપ્રધાન અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિનભાઈ  પટેલે કોઈ વિવાદ નહીં સર્જાયો હોવાનો દાવો કર્યો.હતો  નીતિનભાઈ  પટેલે કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ હોવાના નાતે તેમના હાથે સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું છે અને તેમાં કોઈ વિવાદ નથી

(11:29 pm IST)