Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મામલે સરકાર કરશે પીછેહઠ

પ્રજાજનોમાં વિરોધનો વંટોળ ઉઠતા હવે સરકાર આગળ નહિ વધે તેવી અટકળ

અમદાવાદ :અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવા મામલે હવે રાજ્ય સરકાર પીછેહઠ કરે તેવી શકયતા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહયું છે

 ભાજપ  સરકાર દ્વારા અમદાવાદનું કર્ણાવતી નામકરણ કરવાની હિલચાલ શરૂ થતાં જ પ્રજાજનોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. સતત વધી રહેલા લોક વિરોધને કારણે રાજ્ય સરકાર આ મામલે હવે આગળ ન ધપવા વિચારણા કરી રહી છે.

 અમદાવાદનું નામ બદલવાની પ્રક્રિયા સરકાર માટે પડકારજનક બની રહી હોવાથી સરકાર અખતરો કરવાનું ટાળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે  20 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગણીને ફગાવી દીધી હતી.

(10:16 pm IST)