Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમદાવાદના પ્રવાસીઓની બસને સાપુતારા નજીક અકસ્માત : બ્રેક ફેઈલ થતા ઝાડ સાથે અથડાઈ :બે લોકોના મોત :ત્રણ ગંભીર

સાપુતારાના ઘાટ પાસે બસ ઝાડ સાથે ટકરાતા 10 લોકોને ઇજા

અમદાવાદથી સાપુતારા આવેલા પ્રવાસીઓની બસને અકસ્માત નડ્યો છે. સાપુતારાનો ઘાટ ઉતરતી વખતે બસની બ્રેક ફેઈલ થઈ જતાં બસ ઝાડ સાથે ભટકાયી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા જયારે 10 લોકોને ઇજા પહોંચી હતી જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

શનિદેવ અને શીરડીના દર્શન કરીને અમદાવાદનાં પ્રવાસીઓની બસ સાપુતારા તરફ આવી રહી હતી. ત્યારે ઘાટ પરથી પસાર થતાં 11 વાગ્યાના અસરામાં બસની બ્રેક ફેઈલ થઈ જતા બસ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયી હતી. અકસ્માતને પગલે કંડકટર સાઈડમાં બેસેલા બે પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નિપજયાં હતાં. બસમાં સવાર 50 પ્રવાસીઓ પૈકી 10 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. 10 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી 3 લોકોની હાલત ગંભીર જણાતા તેમને બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હોવાનું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

ઈજાગ્રસ્તોની યાદી

દિનેશ સળુ અંસારી

પ્રવિણ દલપત ચાવડા

અશોક હેમંત ચાવડા

આરતી હરીશ ચાવડા

રાણી બલરામ ઉડાવાર

મહેશ લિંબા મહા

રમેશ દલા રાઠોડ

ચંદ્રીકા પ્રવિણ ચાવડા

સુશીલા અશોક ચાવડા

(9:27 pm IST)