Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સુરતમાં સરદાર બ્રીજ પરથી મોતની છલાંગ લગાવનાર મહિલાને મળ્યું મોત

હો‌સ્‍પીટલમાં દાખલ કરી પણ સારવાર કારગત ન નિવાડી

સુરત : સુરતમાં સરદાર બ્રીજ પરથી ઝંપલાવનાર મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.તાપી નદીમાં ઝંપલાવનારી મહિલાને શનિવારે સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાર બાદ મહિલાને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મહત્વનું છે કે શનિવારે આ મહિલાને બચાવવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તંત્રને આદેશ આપ્યા હતા અને હર્ષ સંઘવી ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા સમગ્ર ઘટનાને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જો કે સારવાર અર્થે લવાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે જ ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. રાજ્યમાં હત્યા, આત્મહત્યા, અપહરણ, ચોરી, લૂંટ-ફાટ, જેવા ગુનાઓ વધ્યા છે તેવામાં રાજ્યમાં વધતી ક્રાઈમની ઘટનાઓને લઈને પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહી છે. 

 

(2:46 pm IST)