Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

સામવેદ હોસ્પિટલના માલિક અને પુત્રને સામાન્ય અકસ્માતના બનાવમાં માર મારવામાં આવતા ખળભળાટ

અમદાવાદના વૈભવી સીંધુ ભવન રોડ પર આવેલા અશ્વવિલા બગલોમાં રહેતા સામવેદ હોસ્પિટલના માલિક ભરત પટેલ અને તેમના દીકરાને માથાભારે શખ્સ અને તેમના પુત્રએ માર માર્યો હતો. સામાન્ય કાર અકસ્માતમાં મારામારી થઈ હતી. આ અંગે વસ્ત્રાપુર પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરતભાઈને વેવાઈ પક્ષના જિલ પટેલ પોતાની કારમાં ભરતભાઈના દીકરાની દિકરીને ક્લાસમાંથી લઈને ઘર પાસે આવ્યા હતા ત્યારે એક બ્લેક કલરની ફોર્ચ્યુનર કાર તેમની કાર સાથે ભટકાઈ હતી. ભરતભાઈ અને તેમનો દીકરો ધ્યાન અને સોસાયટીના સભ્ય ફોર્ચ્યુનર કાર માલીક સાથે વાત કરતા હતા તે સમયે સોસાયટીમાં રહેતા જીતુભા વાઘેલા અને તેમનો દીકરો પુષ્પરાજ વાઘેલા રેન્જ રોવર કારમાંથી ઉતરીને ભરતભાઇ જ્યાં ઉભા હતા. જીતુભાએ ભરતભાઈ પાસે જઈ કંઈ પણ વાત કર્યા વગર લાફો મારી દિધો હતો. ત્યાર બાદ ભરતભાઈને લાકડાના દંડાનો ફટકો મારતા તેઓ નીચે પડી ગયા હતા. જીતુભાના દીકરા પુષ્પરાજે પણ દીકરાને  માર મારી કપડાં ફાડી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

(11:27 am IST)