Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

નર્મદા જિલ્લામાં શનિવારે નવા ૬ કોરોના કેસ સાથે જિલ્લામાંનો કોરોના પોઝિટિવનો આંક ૧૧૧૬ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) જપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં શનિવારે નવા ૦૬ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૦૬ દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં નાંદોદના ધમણાચા-૧,ભદામ-૧,મોટા રાયપરા- ૧ જ્યારે ગરુડેશ્વર તાલુકાના ઝરીયા ગામના -૩ મળી નર્મદા જિલ્લામાં કુલ ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે,જ્યારે ૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૨૨ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૨૯ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૫૬ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૧૧૬ પર પહોચ્યો છે.આજે વધુ ૬૪૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:13 pm IST)