Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

રામપુરા ખાતે ચંપા વિજ્યા જનરલ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ વિતરણ કરાયુ

ચંપા વિજ્યા જનરલ હોસ્પિટલમાં દર શનિવારે વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનનો કેમ્પ કરવામાં આવે છે

તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડના સંયોજક ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ, મનિષસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિ પૂર્વ ચેરમેન દાનાભાઈ હીરાભાઈ સોલંકી, ચંપા વિજ્યા જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી હસમુખભાઇ રમણભાઇ શાહ, ભરતભાઈ સકરાભાઈ પરીખ, મહેન્દ્રભાઈ પટેલ દ્વારા દર્દીઓને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે દર શનિવારે ચંપા વિજ્યા જનરલ હોસ્પિટલ દ્વારા સમગ્ર વિસ્તારના મોતિયાના દર્દીઓના વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે. દર શનિવારે લગભગ 30 થી 40 દર્દીઓ ને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે. આ શનિવારે 22  દર્દીઓને આ સેવાનો લાભ મળ્યો છે. બપોરનું ભોજન પણ સંસ્થા દ્વારા વિનામૂલ્યે કરાવવામાં આવ્યું હતુ.

(4:56 pm IST)