Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મગફળી વેંચ્યા પછી ખેડૂતોને અઠવાડિયામાં નાણા મળી જશેઃ કુલ ૪,૪૬,૯૪૯ ખેડૂતો નોંધાયા

ટેકાના ભાવમાં પ્રથમ વખત પી.એફ.એમ.એસ.પ્રયોગ

રાજકોટ તા. ૧૭ : રાજય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી તા.ર૧ થી રાજયના ૧પ૦ જેટલા કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થનાર છે. હાલ નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે તા. ર૦ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે આ વર્ષે ગયા વર્ષ કરતા મગફળીનું ઉત્પાદન વધુ થયાનો અંદાજ છે પણ અત્યાર સુધી નોંધાયેલા ખેડુતોની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી છે આ વખતે પ્રથમ વખત પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી હોવાથી નાણાની ચુકવણી પ્રક્રિયા વધુ ચોકસાઇવાળી બનશે. ખેડુતોને મગફળી વેંચ્યા પછી અઠવાડીયામાં જ ખાતામાં નાણા મળી જાય તેવી તૈયારી થઇ રહી છે.

ગયા વર્ષે ૪,૭૧,૪૬૦ ખેડુતોએ મગફળી વેચવા ઓનલાઇન નોંધણી કરાવેલ જેમાંથી અઢીલાખ જેટલા ખેડુતોએ મગફળી વેચી હતી. આ વખતે આજે સવાર સુધીમાં ૪,૪૬,૯૪૯ ખેડુતો નોંધાયા છે. નોંણી પ્રક્રિયા હજુ  ૩ દિવસ ચાલશે. શરૂઆતમાં રોજ પ આંકડામાં નોંધણી થતી હવે મોટાભાગની નોંધણી પુરી થઇ ગઇ છે. આજના દિવસોમાં બપોર સુધીમાં માત્ર ૮૦૦ જેટલા ખેડુતો જ નોંધાયા છે ગયા વર્ષે નોંધાયેલા ખેડુતોની સરખામણીએ આ વર્ષે ૯પ ટકા જેટલી નોંધણી થઇ છે.

ખેડુતોને મગફળી ટેકાના ભાવે વેચ્યા પછી અઠવાડીયામાં જ નાણા આપી દેવા માટે પી.એફ.એમ.એસ.નો ઉપયોગ થશે. મગફળી ખરીદીમાં આ પ્રથા પ્રથમ વખત અપનાવવામાં આવી છે.

(3:33 pm IST)