Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

બનાસકાંઠાના જંગલમાં એક દિવસમાં ચાર મૃતદેહ મળ્યા

જંગલમાં લટકતી લાશોનો સિલસિલો યથાવત : બાલારામના જંગલમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, દાંતાના બારવાસ અને જેસોર જંગલમાંથી મૃતદેહ મળી આવ્યા

પાલનપુર, તા. ૧૬ : બનાસકાંઠામાં જંગલમાંથી આજે ચાર મૃત્તદેહ મળી આવ્યા છે. અલગ-અલગ જગ્યાએથી લટકતા મૃત્તદેહો મળી આવ્યો છે. આજે બાલારામ જંગલમાંથી વધુ એક યુવકનો મૃત્તદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ પહેલા દાંતાના બારવાસ અને જેસોર જંગલમાંથી મૃત્તદેહ મળ્યા હતા. આજે પાલનપુર નજીક જેસોરના જંગલમાં એક પ્રેમી યુગલની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાનાં પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારી તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે યુગલની લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ૨-૩ દિવસથી આ લાશ લટકતી હોવાનું જાણવા મળ્યુ હતું.

       લાશથી થોડે દૂર પોલીસને એક બાઇક પણ મળી આવી હતી. જોકે, પ્રેમી યુગલ પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નહતી. પ્રેમી યુગલે ક્યા કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી. બનાસકાંઠાના દાંતાના બારવાસ અને જેસોરના જંગલોમાંથી લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત છે. પાલનપુર નજીક બાલારામ જંગલમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઝાડ પર લટકતી હાલતમાં યુવકની લાશ મળી આવી છે. આજે દાંતાના બારવાસમાં, જેસોરના જંગલોમાં પ્રેમી પંખીડા, જ્યારે બાલારામના જંગલમાં યુવકની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. જિલ્લામાં આજે ચાર લોકોની જંગલમાંથી લાશ મળી આવી છે.

(9:02 pm IST)