Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

નડિયાદ તાલુકાના વીણા ગામે પરિણીતા પર સાસરિયાનો શારીરિક-માનસિક ત્રાસ: સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના વીણા ગામમાં રહેતાં અહેમદમીયાં ગુલાબનબી શેખની પુત્રી અજીજાબાનું શેખના લગ્ન આણંદ તાલુકાના બોરીઆવીમાં સુથારી તલાવડી વિસ્તારમાં રહેતાં ઐયુબમીયાં જીવામીયાં શેખના પુત્ર હસનમીયાં સાથે સાડા પાંચ વર્ષ અગાઉ જ્ઞાતિના રિતરીવાજ મુજબ થયાં હતાં. પતિ-પત્નીનું શરૂઆતનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. જો કે લગ્નને એક વર્ષ બાદ પતિ તેમજ સાસરીયાઓ ઘરકામ તેમજ અન્ય બાબતે અજીજાબાનુનો વાંક કાઢી ઝઘડો કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પતિ હસનમીયાં, સાસુ શાયરાબીબી, સસરાં ઐયુબમીયાં, નણંદ પરવીનબાનુ અને વહીદાબાનુ તેમજ નણંદોઈ મકસુદમીયાં ભેગા મળી અજીજાબાનુંને તેના પિયરમાં જવા દેતાં હતાં. અને પિયરીયાઓને પણ અહીં બોલાવવા નહીં તેમ જણાવ્યું હતું. ઉપરાંત ખોટો વ્હેમ રાખી ઘરની બહાર નીકળવા દેતાં હતાં. અને કોઈ સાથે વાતચીત પણ કરવા દેતાં હતાં. જો કે ઘરસંસાર બગડે નહી તે માટે અજીજાબાનું પતિ તેમજ સાસરીયાઓનો ત્રાસ મુંગા મોઢે સહન કરતી હતી.

(5:45 pm IST)