Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કપડવંજના હરિજનવાસમાં બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલો કરતા ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત: સામસામે ફરિયાદ દાખલ

કપડવંજ: શહેર માં આવેલ હરિજનવાસ વિસ્તારમાં રહેતાં ચૌહાણ અને વાઘેલા પરિવાર વચ્ચે આડા સબંધ બાબતે થયેલ તકરારમાં ગુસ્સે ભરાયેલા બંને પક્ષના લોકો સામસામે આવી ગયાં હતાં. ઝઘડામાં બંને પક્ષોના થઈ કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજના અંતિસર દરવાજા બહાર આવેલ હરિજનવાસ વિસ્તારમાં રહેતાં મહેશભાઈ ચૌહાણ ગતરોજ સાંજના સમયે તેમના વિસ્તારમાં રહેતાં મહેશભાઈ કાન્તિભાઈ વાઘેલાના ઘરે ગયાં હતાં. અને ત્યાં જઈ મહેશભાઈ વાઘેલાના પત્ની શાનુબેનને તમે મારા ભત્રીજા દિપકભાઈ રમેશભાઈ ચૌહાણ સાથે આડા સબંધ રાખો છો તે બંધ કરી દો તેમ કહી ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા દિપકભાઈ વાઘેલા અને તેમના પત્ની શાનુબેન ગમેતેમ ગાળો બોલી ઠપકો આપવા ઘરે આવેલા મહેશભાઈ ચૌહાણને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.

(5:43 pm IST)