Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગળતેશ્વરમાં પરણિત પ્રેમિકાને મેળવવા માટે મોતનું કારસ્તાન રચવામાં આવ્યું: પતિની પ્રેમી દ્વારા કરપીણ હત્યા: પ્રેમીને પોલીસે રંગે હાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

ગળતેશ્વર :પરણીત પ્રેમીકાને પામવા માટે તેના પતિની હત્યા કરનાર પ્રેમીની સેવાલીયા પોલીસે ધરપકડ કરી છે. કપડવંજના હીરાપુરા ગામે રહેતા શખ્સે તેના ગામની પરિણીત મહિલા સાથે પ્રેમસબંધ બંધાઇ ગયો હતો. પરંતુ તેના પતિને પ્રેમસંબંધની જાણ થઈ જતા બંને પ્રેમીઓ પર તવાઇ આવી ગઇ હતી. જેથી પ્રેમીકાના પતિનું ઢીમ ઢાળી દઇ પ્રેમીકાને પામવા માટે પ્રેમીએ પ્લાન બનાવી તેની હત્યા કરી નાખી હતી. જોેકે પોલીસ તપાસમાં હત્યાના કાવતરાની સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કપડવંજ તાલુકાના હીરાપુરા ગામે રહેતા અને ભુઆનું કામ કરતા હર્ષદભાઇ કનુભાઇ સોલંકીને થોડા સમય પહેલા તેમના ગામમાં રહેતા ભરતભાઇ નવાભાઇ રાઠોડની પત્ની અનિતા ઉર્ફે હંસાબેન સાથે પ્રેમસંબંધ બંધાઇ ગયો હતો. જોકે બંનેના પ્રેમ સંબંધ વિશે હંસાબેનના પતિ ભરતભાઇને ખબર પડી જતા તેઓએ હંસાબેનનું ઘરની બહાર નીકળવુ બંધ કરાવી દીધુ હતુ. જેથી હર્ષદ અને હંસા બંને એકબીજાને મળી શકતા હતા. પ્રેમમાં પાગલ હર્ષદે હંસાને હંમેશા માટે પોતાની બનાવવાનું નક્કી કરી લીધુ હતુ અને એટલે તેણે હંસાના પતિ ભરતભાઇને રસ્તા વચ્ચેથી હટાવવાનું નક્કી કરી લીધુ હતું. તા. ઓક્ટોબરના રોજ હર્ષદે ભરતભાઇને ફોન કરી વિધી કરવાની છે, એટલે તમે મહિસાગર નદીના પુલ પર આવી જાવ તેમ કહી ગળતેશ્વર મહિસાગર નદીના પુલ પર બોલાવ્યા હતા. જ્યા અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ તેણે ભરતભાઇ કંઇપણ સમજે તે પહેલા નદીમાં ધક્કો મારી દીધો હતો. જેથી નદીમાં પડી ગયેલા ભરતભાઇનું ડૂબી જતા મૃત્યુ થયું હતું.

(5:41 pm IST)