Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સુરતના અમરોલી-ભરથાણા નજીક લગ્નના દોઢ વર્ષમાં પત્નીને બીજી યુવતી સાથે થયો પ્રેમ સંબંધ: શારીરિક માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના અમરોલી-ભરથાણામાં રહેતા રેલવે ટિકિટ એજન્ટે લગ્નનના દોઢ વર્ષમાં પત્નીને તું મને ગમતી નથી અને હું બીજી છોકરીને પ્રેમ કરૃ છું એમ કહી શારિરીક-માનસિક ત્રાસ આપવા ઉપરાંત સાસરિયાઓએ પણ ઘરમાંથી કાઢી મુકતા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

અમરોલી-ભરથાણાની રામદર્શન સોસાયટીમાં રહેતી કવિતા મિટુ દાયમાના લગ્ન વર્ષ 2015 માં સુરત રેલવે સ્ટેશન પર ટિકિટ એજન્ટનું કામ કરતા સુનીલ બિહારીભાઇ કાછવા સાથે થયા હતા. સમાજના રિતીરિવાજ મુજબ કવિતા લગ્ન બાદ દોઢ વર્ષ સુધી પિયરમાં રહી હતી. દોઢ વર્ષ પછી સાસરે આવી ત્યારે પતિ સુનીલે કવિતાને કહ્યું હતું કે તું મને હવે ગમતી નથી અને હું બીજી છોકરીને પ્રેમ કરૃ છું અને બીજા લગ્ન કરવાના છે એમ કહી અપશબ્દો ઉચ્ચારી શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યુ હતું.

(5:37 pm IST)