Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્પાપ વધારવા જનઆંદોલન : સુભાષ પાલેકર

પ્રાકૃતિક ખેતીનું મોડેલ પ્રભાવશાળીઃ શિવાર ફેરીનું સમાપન

કૃષિ ક્ષેત્રના પહ્મશ્રી સુભાષ પાલેકરજીની હાજરીમાં તળાજા તાલુકાના ટીમાણા ગામમાં યોજાયેલ ફેરીની તસ્વીર

ગાંધીનગર,તા.૧૭:રાજયમાં જળસંચય ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવનાર રાજયનો સૌરાષ્ટ્ર વિસ્તાર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સમગ્ર દેશમાં જેમણે પ્રાકૃતિક ખેતીની પહેલ કરીને કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે તેવા પદ્મશ્રી વિજેતા સુભાષ પાલેકરજીના નેતૃત્વમાં ૧૨મી ઓકટોબરથી શરૂ થયેલી શીવાર ફેરીનું ૧૫ ઓકટોબરના રોજ તળાજા તાલુકાના ટિમાણા ગામે સમાપન થયું હતું. આ શિવાર ફેરીમાં ઉપસ્થિત સુભાસ પાલેકરજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં સુભાસ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો દ્વારા જાણ આંદોલન નિર્માણ થઈ ચૂકયું છે જે આગામી દિવસોમાં આંધીમાં પરિવર્તિત થઈ જશે.ઙ્ગ

સતત ચાર દિવસ ચાલેલી આ શીવાર ફેરી ગીર સોમનાથ જિલ્લાથી શરૂ થઈ ભાવનગર જિલ્લામાં સમાપ્ત થઈ હતી. આ ચાર દિવસ દરમિયાન ડોકટર સુભાષ પાલેકરજીના સાનિધ્યમાં સરેરાશ ૭૦૦ થી ૮૦૦ જેટલા કિસાનોએ આ ત્રણેય જિલ્લામાં આવેલા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈને સૌરાષ્ટ્રના પ્રગતિશીલ કિસાનોએ પ્રાકૃતિક કૃષિ દ્વારા મેળવેલા મબલક ઉત્પાદનની વિગતવાર માહિતી મેળવી હતી. આ દરમિયાન ડોકટર સુભાષ પાલેકરજીએ સૌરાષ્ટ્રના આ ત્રણેય જિલ્લાઓમાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મથી પ્રભાવિત થઈને સ્પષ્ટ પણે એવી લાગણી વ્યકત કરી હતી કે આ મોડેલ ફાર્મ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના કિસાનોને પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કરશે. માત્ર ગુજરાતના જ કિસાનો નહીં પરંતુ રાજસ્થાન, ઉત્ત્।ર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, બિહાર અને કેરાલા જેવાં રાજયના અંદાજે ૩૫ થી પણ વધુ કિસાનોએ આ શિવાર ફેરીમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાંથી માર્ગદર્શન લઈને સૌરાષ્ટ્ર સહિત ઉત્ત્।ર ગુજરાત તથા મધ્ય કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માત્ર એક ગાયથી ૩૦ એકરમાં ખૂબ જ ઓછા અથવા તો નહીવત ખર્ચ સાથે સારું એવું કૃષિ ઉત્પાદન મેળવીને કિસાનોએ કૃષિને પોષણક્ષમ બનાવી છે. સુભાષ પાલેકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી જ સાકાર બનશે. કારણકે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો નહિવત છે જયારે ગુણવત્ત્।ાયુકત મબલક કૃષિ ઉત્પાદન મળવાને કારણે ખેડૂતોને સારોએવો આર્થિક ફાયદો પ્રાકૃતિક ખેતીમાં થાય છે.

આ પ્રસંગે પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ દિશામાં જનઆંદોલનનો પ્રારંભ થઈ ચૂકયો છે. જે આગામી દિવસોમાં આંધીમાં ફેરવાશે. ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગર જિલ્લાના ૯ ગામોના વિવિધ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મથી હું અત્યંત પ્રભાવિત થયો છું અને અને મને વિશ્વાસ છે કે, આગામી દિવસોમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. સુભાષ પાલેકરજીએ એ વાતનો આનંદ વ્યકત કર્યો હતો કે ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં એક આગવી પહેલ કરવા આગળ વધી રહેલ છે. તેમણે એવી આશા વ્યકત કરી હતી કે હિમાચલ પ્રદેશ અને ઉત્ત્।રાખંડ જેવા રાજયમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, તેવી જ રીતે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે.

આ શિવાર ફેરીમાં કિશાન અગ્રણી અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક શ્રી પ્રફુલભાઇ સેંજલીયા, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના રાજયના સંયોજક શ્રી દીક્ષિત પટેલ તથા જેને આ સમગ્ર શિવાર ફેરીનું સફળ આયોજન કર્યું હતું અને યાત્રાને સફળ બનવવાની ભૂમિકા ભજવનાર શ્રી રમેશભાઈ સાવલિયા તથા અનેક કિશાન અગ્રણીઓ જોડાયા હતા.

(3:26 pm IST)