Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વડોદરામાં રોગચાળો વકર્યો : છેલ્લા 15 દિવસમાં 200 લોકોને ડેન્ગ્યુની અસર

3400 દર્દીઓના સેમ્પલ લેવાયા : 441 દર્દીના રિપોર્ટ પોઝિટિવ

વડોદરામાં રોગચાળાએ ભરડો લીધો છે  ગત 15 દિવસમાં 200 લોકોને ડેન્ગ્યુની અસર તો આ તરફ વડોદરામાં પણ રોગચાળો વકર્યો છે. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 200 લોકોને ડેન્ગ્યુની અસર જોવા મળી છે.

   અત્યાર સુધીમાં 3 હજાર 400 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા જે પૈકી 441 દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો  હતો

    શહેરમાં બે બાળકો સહિત 10 ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા છે. ગત દિવસે મોટનાથ મહાદેવ પાસે રહેતી મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુના લીધે મોત નીપજ્યું હતું. ત્યારે વડોદરામાં સરેરાશ રોજ 13 દર્દીઓનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝીટીવ આવી રહ્યા છે. ત્યારે ઓગસ્ટમાં 47 અને સપ્ટેમ્બરમાં 129 પોઝીટીવ દર્દી નોંધાયા હતા.

(1:57 pm IST)