Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 વાગ્યે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા

કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામમાં હોવાનું તારણ

નવસારીઃ રાજ્યમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

 

  ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું સામે આવ્યું છે. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

(1:53 pm IST)