Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

મહુધા તાલુકામાં પરિણીતાને ત્રાસ ગુજારી નરાધમ પતિએ મારી નાખવાની ધમકી આપતા ચકચાર

મહુધા: તાલુકાના વડથલમાં રહેતી સુમન્નાબેન પઠાણના લગ્ન સાસ્તાપુરમાં રહેતા સલીમખાન નિયાઝખાન પઠાણ સાથે મુસ્લિમ રીતરીવાજથી થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન દીકરી અને દીકરાનો જન્મ થયો હતો. આમ છતાં છેલ્લા એક વર્ષથી સલીમખાન નજીવી બાબતે ઝઘડા કરી પત્નીને મારઝુડ કરતો હતો. જેથી પરિણીતા પિયર જતી રહી હતી અને બાદમાં સંસાર બગડે નહીં તે માટે માતા-પિતાને સાથે લઈ સાસરીમાં સમાધાન કરવા આવી હતી પરંતુ પતિ અને સાસુએ સમાધાન કરવાને બદલે સુપન્નાબેનને ગમે તેમ ગાળો બોલી વાળ પકડી ગડદાપાટુ માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે સુમન્નાબેન સલીમખાન પઠાણની ફરિયાદ આધારે મહુધા પોલીસે સલીમખાન નિયાઝખાન પઠાણ તથા બસીરનબીબી નિયાઝખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:04 pm IST)