Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સુરત: દિગંબર જૈન મંદિરમાંથી મૂર્તિની ચોરી જૈનસમાજમાં આક્રોશ :પોલીસ મથકનો ઘેરાવ

ભગવાનની અષ્ટ ધાતુની મૂર્તિ,ચાંદીનો છત્ર અને કળસ ની ચોરી

સુરત લીંબાયત પર્વત પાટિયા સ્થિત આદિનાથ દિગંબર જૈન મંદિર માં આદિનાથ ભગવાનની  મૂર્તિ ની ચોરી ઘટના બની છે.

 આ અંગે જાણવા મળ્યા મુજબ સુરત લીંબાયત વિસ્તારમાં આવેલ પર્વત પાટિયા સ્થિત આદિનાથ ભગવાનની સવારે પૂજા હતી અને રાત્રે તસ્કરો મૂર્તિને નિશાન બનાવી ચોરી ગયા હતા ચોરોએ આદિનાથ દિગંબર જૈન મંદિરમાં આદિનાથ ભગવાનની, અષ્ટ ધાતુની મૂર્તિ,ચાંદીનો છત્ર અને કળસ ની ચોરી કરી ફરાર થઈ જતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.

 સમાજના લોકોએ કેશવ નગર પોલીસ ચોકીનો ધેરાવો કરી વિરોધ કર્યો હતો.જો કે, હાલ લીંબાયત પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)