Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

વિરમગામ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની જાગૃતિ શિબિર યોજવામાં આવી

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હાસલપુર, કાજીપૂરા, થોરીમુબારક, ભોજવા, નિલકી સહિત પાંચ ગામોમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ

વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હાસલપુર, કાજીપૂરા, થોરીમુબારક, ભોજવા, નિલકી સહિત પાંચ ગામોમાં કાનૂની જાગૃતિ શિબિરો યોજવામાં આવી હતી. જેમાં સમિતિના રાજેન્દ્ર રાવલ, કૌશિકભાઈ ચાવડા,   ફૈઝલ ગિલાણી, કાંતિભાઇ પટેલ વકીલો સહિત કિરીટ રાઠોડ, અશ્વિન કો.પટેલ પેરાલીગલ સહાયકો તેમજ રણજિતભાઈ ડોડીયા (મ્યુ.કાઉન્સિલર) તેમજ જીગરભાઈ સહિત હાજર સભ્યોએ ગ્રામજનોને કાનૂની મદદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

(6:56 pm IST)