Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરતના ઓલપાડમાં ટ્રક ચાલકે કારને ટક્કર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું મોત

સુરત: ઓલપાડના મોરટુંડાગામમાં રહેતો 21 વર્ષીય વનરાજ હસમુખ પટેલ  કારમાં સેલ બરાબર લાગતો હોવાથી  બુધવારે સાંજે સુરત ખાતે કાર રિપેરીંગ કરીને ઘરે પરત જતો હતો. તે વેળા દાંડી રોડ પર કુંકણીગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને ઇજા થતા સારવાર માટે ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ  પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે સ્કુલની વર્દી મારવાનું કામ કરતા હતો. તે એક બહેનનો એક ભાઇ હતો.  અંગે જહાંગીરપુરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(6:19 pm IST)