Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

૨૭ વર્ષ : પટેલ પ્રધાનમંડળના સૌથી નાની વયના પણ સૌથી વગદાર પ્રધાનઃ હર્ષ સંઘવી

જ્ઞાતિગત સમીકરણોને દુર કરી ૨૭ વર્ષની નાની ઉંમરે ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતનાર સુરતના મજુરાના ધારાસભ્યના હર્ષ સંઘવીના જીવનમાં નરેન્દ્રભાઇ મોદીને મળ્યા પછી બદલાવ આવ્યો. ૧૦ ધોરણ પછી ભણવાનું છોડી દઈ પિતાના ડાઈમન્ડ બીઝનેઝમાં જોડાઈ ગયેલા હર્ષભાઇને નરેદ્રભાઇના વ્યકિતત્વની એવી અસર થઇ કે રાજકારણ સાથે લેવા દેવા ના હોવા છતાં   રાજકારણમાં પ્રવેશ કર્યાે. વર્ષ ૨૦૦૬માં ગાંધીનગર સચિવાલયમાં મુલાકાતે આવેલ હર્ષે પ્રથમ વખત નરેન્દ્રભાઇ મોદી સાથે ભેટો કર્યો અને પછી નક્કી કરી લીધું કે હવે લોક સેવામાં જ જોડાવું. આ મુલાકાત પછી હર્ષ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા અને સુરતમાં કામગીરી ચાલુ કરી અને પછી રાજકારણમાં પ્રગતી કરી.

૨૦૧૧માં હર્ષભાઇ અને ગુજરાતના અન્ય યુવાનો શ્રીનગર ખાતે લાલચોકમાં ત્રિરંગો લહેરાવા માટે ગયા હતા જ્યાં પોલીસ દમન  દરમિયાન તેમને માર પણ પડ્યો હતો અને ૬ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. આ ઘટના પછી સુરત રેલ્વે સ્ટેશન પર હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.   ૨૦૧૨ની વિધાનસભા ચુંટણીમાં નરેદ્રભાઇ મોદી દ્વારા સુરતની મજુરા વિધાનસભામાં હર્ષ સંઘવીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા. ચુંટણીમાં કોંગ્રેસના હરીફ ઉમેદવારને ૫૧ %વોટથી પરાજય આપ્યો અને ત્યારબાદ ૨૦૧૭ની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો અને ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનેલ.

હર્ષભાઇ દ્વારા સર્વપ્રથમ સુરતની સિવિલ હોસ્પિટલમાં વિકાસના કામોનો પ્રારંભ કર્યો અને જાતે જ દર અઠવાડિયે સિવિલ હોસ્પિટલની મુલાકાત  લ્યે અને જાતે જ ધ્યાન રાખી દેશનું સૌથી આધુનિક બીજા નંબરનું ઓપરેશન થીયેટર બનાવામાં આવ્યુ.

હર્ષ સંઘવી માને છે કે પહેલા હું જયારે રાજકારણને જોતો તો એવુ જ લાગતું હતું કે જ્ઞાતિના સમીકરણોથી ચુંટણીમાં વિજય મળે છે પરંતુ  નરેન્દ્રભાઇને મળ્યો અને તેમને જોયા ત્યારે લાગ્યું કે એવું નથી હોતું, પોતાની આવડત અને લોક સેવામાં પોતાની જાતને લગાડી દેવામાં આવે તો એ પણ શક્ય છે.

હર્ષભાઇ જાતે સાયકલ લઈને, સ્કુટર લઈને અને કાર લઈને લોકો જોડે પહોંચી જાય છે અને તેમની વાતો સાંભળી સૂચનો અને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે.

હર્ષ સંઘવીના પરિવારમાં પિતા નામાંકીત ઉદ્યોગપતિ છે અને માતા, પત્ની અને બે બાળકો છે. જે સુરતમાં રહે છે તેેમનો પરિવાર મૂળ ઉત્તર ગુજરાતનો છે. ૨૦૧૩માં આવેલા પુર વખતે સુરતના આઝાદનગરમાં પાણીમાં ડૂબતા યુવકને હર્ષભાઇએ જાતે ડૂબકી મારીને બચાવ્યો હતો. તેમના રાજકારણમાં પ્રવેશ  સમયે પરિવાર ડરતો હતો.   આજે સમગ્ર રાજયનો ડર દુર કરે તેવો રાજયમાં ગૃહપ્રધાન હોદા સુધી હર્ષભાઇ પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં ગુંડાગીરી, માફીયાગીરી, ભયનું સામ્રાજય દુર કરે અને લોકોની નજરમાંથી ઉતરી ગયેલ, પોલીસતંત્રમાં નવા પ્રાણ ફુંકવા સાથે ઇમાનદારી, પ્રમાણીકતા અને ફરજનીષ્ઠાની પુનઃ સ્થાપના કરે તેવી શુભેચ્છા... 

(11:46 am IST)