Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમદાવાદમાં ટ્રેન મારફતે આવતા ૧૬૯૪ મુસાફરનું ટેસ્‍ટીંગ ર૦ મુસાફરો રીપોર્ટ પોઝીટીવ : ૧૧ને હોમ કવોરોનટાઇન : ૯ને સાબરમતી કોવીડ કેર સેન્‍ટરમાં ખસેડાયા

અમદાવાદ : અમદાવાદમાં ટ્રેન મારફતેઆવતા ૧૬૯૪ મુસાફરોનું ટેસ્‍ટીંગ કરવામાં આવ્‍યુ હતુ. જેમાંથી ર૦ મુસાફરોનાં રીપોર્ટ પોઝીટીવ આવેલ હતા. જેમાંના ૧૧ને હોમ કવોરોન્‍ટાઇન કરાયા હતા અને બાકીના ૯ને સાબરમતી કેર સેન્‍ટર ખાતે ખસેડાયા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ (Ahmedabad corona Testing Latest News) દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.

કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 790 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 13 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 414 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 કોરોના પોઝિટિવ (Ahmedabad corona Testing Latest News) કેસો મળ્યા હતા.

તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 490 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે આજે કુલ 1694 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 20 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(12:15 am IST)