Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમદાવાદના જમાલપુરમાં સાતમા માળેથી નીચે પટકાતા યુવતીનું ઘટનાસ્થળેજ મોત નિપજતા અરેરાટી

અમદાવાદ:જમાલપુરમાં રહેતી ૨૩ વર્ષની યુવતીનું સાત માળના બિલ્ડીંગના ટેરેસ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું. છેલ્લા પાંચ વર્ષથી તેની માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ જમાલપુરમાં પગથિયા પાસે મુસ્તુફા શહીદની દરગાહ પાસે ફાતમા ખાતુન નિસારઅહેમદ શેખ (૨૩) તેના પરિવાર સાથે રહેતી હતી. ૧૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ટોકરશાની પોળ, મદીના મસ્જીદ પાસે આવેલી સાત માળની નવી બિલ્ડીંગના ધાબા પરથી પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

(5:21 pm IST)