Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આગામી બીસીજીની ચુંટણી પુર્વે ભાજપા સભ્યોને રાજસ્થાન લઇ જવાશે?

રિસોર્ટનો ત્રણેક લાખના ખર્ચો ચુકવીને ચેરમેન બનો? વકીલો ચર્ચાનો મુદ્દો બન્યા

અમદાવાદ તા. ૧૭ : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી રર મી સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. ૧૯મીથી રર મી દરમિયાન ભાજપ સમર્થિત ર૦ સભ્યોને ઉદયપુરના જોડાલ રિસોર્ટ ખાતે લઇ જવામાં આવશે. બે દિવસના આ રોકાણનો ખર્ચ આશરે બે થી ત્રણ લાખ રૂપિયા અંદાજવામાં આવ્યો છ.ે

આ ખર્ચ કોણ ભોગવશે તે મુદ્દો હાલ વકીલોના વર્તુળમાં ચર્ચાનો વિષય છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે આગામી ચેરમેનના શીરે ક આ રિસોર્ટ રોકાણના ખર્ચ પેટેનું રૂપિયા બેથી ત્રણ લાખનું બીલ આગામી મેરમેન રહેશે જો આવુ હોય  તો ત્રણ લાખ રૂપિયા ચુકવો અને ચેરમેન બનો તેવો ઘાટ સર્જાશે.

(12:01 pm IST)