Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સરદાર સરોવર ડેમને રોશનીનો અદભુત શણગાર : કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે નર્મદા નીરના વધામણાં

પીએમ મોદી નર્મદા નદીની આરતી ઉતારીને જન્મદિવસ ઉજવશે

 

અમદાવાદ ; વડાપ્રાધાન નરેન્દ્રભાઈ  મોદીનો આવતી કાલે 70મો જન્મ દિવસ છે. વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન થનારા છે ત્યારે નર્મદા નદીના કાઠે સરદાર સરોવર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે નર્મદા ડેમને રોશની શણગારવામાં આવ્યો છે

   સરદાર સરોવર ડેમમાં જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. અને પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે જળના વધામણા પણ કરવાના છે. લીલા, સફેદ અને કેસરી રંગની લાઇટોથી શણગારેલા ડેમ દૂરથી અદભૂત લાગી રહ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની આરતી ઉતારીને જન્મદિવસ ઉજવશે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી આખા વિસ્તારને જાણે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે.

(10:42 pm IST)