Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મેઘરાજની તરૂણીની એકલતાનો લાભ લઇ નરાધમે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા અરેરાટી

મેઘરજ: તાલુકાની ૧૭ વર્ષીય અને સાત ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં એકલતાનો લાભ લઇ એક નરાધમે મકાનના દરવાજા બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ અંગે મેઘરજ પોલીસ સ્ટેશને એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

મેઘરજના કંભરોડા ગામનો હરેશભાઇ હરીભાઇ વિજપડા મકાનમાં ઘુસી સાતમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યો હતો અને કોઇને કહીશ  તો  જાનથી  મારી નાખીશ એવી ધમકી આપી હતી.

બાદમાં હરેશભાઇ વિજપડા ઘર છોડી ફરાર થઇ ગયો હતો. તેવામાં તેનો ભાઇ એકાએક આવી જતાં આ બાળા રોકકળ કરતી હતી.

(5:17 pm IST)