Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નડિયાદ-મહેમદાવાદ રોડ પર અજાણ્યા વાહનની હડફેટે રાહદારીએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

નડિયાદ:નડિયાદ મહેમદાવાદ રોડ ઉપર દેવકીવણસોલ પાટીયા નજીક ગઈકાલે રાત્રે અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા રાહદારીનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના દેવકીવણસોલમાં રહેતા રામસિંહ ઉદેસિંહ સોલંકી ગઈકાલે રાત્રે રોડ પરથી ચાલતા જતા હતા ત્યારે પ્રાથમિક શાળા નજીક નડિયાદ - મહેમદાવાદ રોડ પર પૂરઝડપે હંકારી પસાર થતો અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહને ટક્કર મારતા રામસિંહ સોલંકીને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. 
આ બનાવની જાણ થતા મહેમદાવાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ હરીશભાઈ માનસિંહ સોલંકીની ફરિયાદ આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:06 pm IST)