Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્‍તાવઃ જવાબી ‘ઘા' માટે સાંજે ભાજપના સભ્‍યોની બેઠક

ગાંધીનગર તા.૧૭: આજે સોમવારે  સાંજે પ વાગ્‍યે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્‍યોની મહત્‍વની બેઠક મળી રહી છે. કોંગ્રેસે મંત્રી મંડળ સામે આપેલા અવિશ્વાસ પ્રસ્‍તાવ મામલે આ બેઠકમાં ચર્ચા કરાશે. બેઠકમાં મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્‍યપ્રધાન નીતિનભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત ભાજપના તમામ ધારાસભ્‍યો ઉપસ્‍થિત રહેશે. કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્‍તાવનો જવાબ કેવી રીતે આપવો તેની રણનીતિ ઘડવા માટે આ બેઠક બોલાવાઇ છે.

(1:16 pm IST)