Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને ચાર સ્થળો પર કૃત્રિમ તળાવો બબનાવાયા :નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ

વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને ચાર સ્થળો પર કૃત્રિમ તળાવો બનાવાયા છે શહેરની મધ્યમાં સુરસાગર તળાવનું બ્યુટી ફિકેશન ચાલતું હોવાથી ગણેશજીની પ્રતિમાઓ વિસર્જિત નહીં થાય. ત્યારે શહેર પોલીસ દ્રારા વડોદરા મહાનગર સેવાસદનને સાથે રાખીને નવલખી, આજવા રોડ, ગોરવા, અને ગોત્રી વિસ્તારમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવી રહ્યાં છે.

આ તળાવો તૈયાર પણ થઇ ગયા છે. અને ગણેશ વિસર્જનની પ્રક્રિયા પણ શરૂ થઇ ચૂકી છે. ત્યારે ખાસ તળાવની ફરતે નજર રાખવા માટે વડોદરા શહેર પોલીસે પ્રથમ વખત નવતર પ્રયોગનાં ભાગ રૂપે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરશે.

(9:15 am IST)