Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અનામતની માગ સાથે સરદારપુરથી નિકળેલી પાટીદારોની પદયાત્રાનું વિજાપુરમાં સમાપન

એસજીપી પ્રમુખ લાલજી પટેલ સહીત વિવિધ આગેવાનો અને સેંકડો પાટીદારો જોડાયા :પાસના ગીતા પટેલ,કન્વીનરો દિલીપ સાબવા,જયેશ પટેલ પણ જોડાયા

અનામતની માંગ સાથે સરદારપુર ગામથી નિકળેલી પાટીદારોની પદયાત્રાનું વિજાપુરમાં સમાપન થયુ છે.એસપીજી પ્રમુખ  લાલજી પટેલ સહિત એસપીજીના વિવિધ આગેવાનો તેમજ સેંકડો પાટીદારો આ પદયાત્રામાં જોડાયા હતા.

 આ યાત્રામાં પાસના મહિલા આગેવાન ગીતા પટેલ, પાસ કન્વીનરો દિલીપ છાબવા, જયેશ પટેલ પણ સામેલ થયા હતા.

  દિલીપ સાબવાએ કહ્યુ કે ગુજરાત સરકાર અમારી માંગણીઓને નહી સ્વીકારે તો 2019માં સરકારને ખબર પડી જશે કે કોનામાં કેટલો દમ છે. સમાજની અવગણના સરકારને ભારે પડશે તેવી ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત તેમણે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સમાંતર કાર્યક્રમ આપવાની પણ જાહેરાત કરી હતી.

(9:52 pm IST)