Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

અમદાવાદ સહીત નગરોમાં થાક ખાતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 383 નવા કેસ નોંધાયા:વધુ 664 દર્દીઓ સાજા થયા:આજે બે દર્દીઓના મૃત્યુ થયા :મૃત્યુઆંક 10,992 થયો : કુલ 12.52.358 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2,14,084 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3197 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 383 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 664 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.52.358 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મૃત્યુ થયા છે,, ગાંધીનગર કોર્પોરેશન અને આણંદમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.992 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.88 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.14.084 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12.02.96.495 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3197 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3174 દર્દીઓ સ્ટેબલ છે.  .

    રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 383 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 123 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 73 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 35 કેસ,સુરત કોર્પોરેશનમાં 13 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 12 કેસ, કચ્છ,મહેસાણા અને વલસાડમાં 10-10 કેસ,ભરૂચ અને સુરતમાં 9-9 કેસ, જામનગર કોર્પોરેશન,રાજકોટ અને સાબરકાંઠામાં 8-8કેસ, આણંદ ,અને નવસારીમાં 7- 7 કેસ,મોરબીમાં 5 કેસ, અમદાવાદમાં 4 કેસ, અમરેલી, ભાવનગર કોર્પોરેશન,ગાંધીનગર અને ગીર સોમનાથમાં 3-3 કેસ, બનાસકાંઠા,જામનગર અને પોરબંદરમાં 2-2 કેસ, બોટાદ,દાહોદ અને પાટણમાં 1-1 કેસ નોંધાયો છે

(8:00 pm IST)