Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

વડોદરાના સિદ્ધનાથ તળાવમાંથી 60 વર્ષીય વૃધ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: શહેરના સિધ્ધનાથ તળાવમાંથી 60 વર્સીય વૃદ્ધનો મૃતદેહ નજરે પડતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ફાયર લાશકરોએ મૃતદેહને બહાર કાઢી પરિવારને સોંપ્યો હતો. બનાવ સંદર્ભે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડ્યો હતો. 

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટના પાછળના ભાગે આવેલ સિધ્ધનાથ તળાવમાં યુવકનો મૃતદેહ નજરે ચડતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર લાશકરોએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આ દરમિયાન મૃતકના પરિવારજનો અને નવાપુરા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પથ્થરગેટની ખારવાવાડ ખાતે રહેતા 60 વર્ષીય વિનોદભાઈ ચુનીલાલ ખારવા હોવાની વિગતો સપાટી પર આવી હતી. તેઓ અસ્થિર મગજના હોય અગમ્ય કારણોસર તળાવમાં ઝંપલાવ્યા હોવાની માહિતી જાણવા મળી છે.

(5:41 pm IST)