Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ઠાસરા તાલુકામાં અથાણાંના વેપારીને પરેશાન કરી માર મારનાર અન્ય બે વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ઠાસરા:તાલુકા કોટલીંડોરામાં રહેતો યોગેશભાઈ સેમ્યુલભાઈ રોહિત અથાણા બનાવી થેલીમાં પેક કરી છુટક વેચાણનો ધંધો કરે છે. ગઈકાલે પૂનમ હોઈ તે થેલામાં અથાણા મૂકી ડાકોર વેચવા આવ્યો હતો. અને તુલસી ગેસ્ટ હાઉસ નજીક બહાર ખુલ્લામાં પથારૂ પાથરી અથાણા મુકી વેચાણ કરતો હતો. 

આ જગ્યાની બાજુમાં લારી લઈને ઊભા રહેતાં કેતનભાઈ અરવિંદભાઈ ભટ્ટ અને જીગ્નેશભાઈ મહિપતભાઈ ઝાલા (બંને રહ.ે ડાકોર)ના ઓએ આવીને યોગેશને આ સ્થળેથી હટી જવા જણાવ્યું હતું. બંને વચ્ચે તુતુ...મેમે થતાં કેતન અને જીગ્નેશે યોગેશને મારમારી જાતિ વિરૂધ્ધ અપશબ્દો બોલ્યાં હતાં. અને ડાકોરમાં અથાણા વેચવા આવીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(5:16 pm IST)