Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કાંકરિયા રાઈડ ઈફેક્ટ :સુરતના રાંદેરમાં બોટનિકલ ગાર્ડનમાં સર્ટિફિકેટ વિના ચાલતી 33 રાઇડો સીલ

રાઈડની એન.ઓ.સી કઢાવ્યા બાદ ફરીથી કાર્યરત કરી શકાશે

અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. મહાનગરોમાં ચાલતા આનંદ મેળામાં તપાસના આદેશ આપ્યા છે..કોઇ બેદરકારી કે ગેરરીતિ સામે આવે તો કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.જેના પગલે સુરત મનપા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે

  સુરતના રાંદેર સ્થિત ઉગત રોડ પર આવેલા બોટનીકલ ગાર્ડનમાં ચાલતી તેત્રીસ જેટલી રાઈડો સર્ટીફિકેટ વગર ચાલતી હોવાનુ જણાતા સીલ કરી દેવાઈ છે રાઇડના સંચાલકને જણાવ્યું હતું કે રાઈડની એન.ઓ.સી કઢાવ્યા બાદ ફરીથી કાર્યરત કરી શકાશે.

(10:08 pm IST)