Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અમદાવાદ ચાંદખેડામાં દંપતી વચ્ચે મારામારી: પતિએ ગળુ દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી

આરોપી એસબીઆઈમાંથી નિવૃત: મૃતક જશીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા

અમદાવાદ: શહેરના ચાંદખેડામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે કોટેશ્વર રોડ પર આવેલા ભગીરથ બંગલોમાં રહેતા 59 વર્ષીય મોતીભાઈ મકવાણાએ 48 વર્ષીય પત્ની જશીબહેનની હત્યા કરી હતી.

   મળતી વિગત મુજબ છેલ્લા અનેક દિવસોથી પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. સવારે બંને ઉઠયા ત્યારે બંને વચ્ચે ઝગડો શરૂ થયો હતો. પતિ પત્ની વચ્ચે મારામારી થતા પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા

   આરોપી પતિ એસબીઆઈ બેન્કમાંથી નિવૃત્ત થયા હતા. જશીબહેન સાથે તેમના બીજા લગ્ન હતા. અગાઉ નિર્મલાબહેન સાથે તેમને લગ્ન કર્યા હતા.પણ અકસ્માતમાં તેમનું મોત થયું હતુ. નિર્મલાબહેનના પાંચ સંતાનો જેમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જ્યારે બીજા લગ્ન બાદ જશીબહેનને એક પુત્રી છે. જે હાલ ધોરણ 11માં અભ્યાસ કરે છે.

(8:35 pm IST)