Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વડોદરા-આજવા રોડની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ

વડોદરા: શહેરને પાણી પૂરૂં પાડતા આજવા સરોવરથી આવતી પાણીની 1500 એમએમ ડાયામીટરની લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી લીકેજથી વેડફાઇ ગયું હતું. આજવાની આત્રીજી લાઈનમાં બે દિવસ અગાઉ આજવા રોડ રાધાસ્વામી સત્સંગ હોલ પાસે ભંગાણ પડ્યું હતું. ગઈકાલથી આ કામગીરી ચાલુ હતી જેમાં સયાજી ટાંકી બાપોદ કપુરાઈ તરસાલી જાંબુઆ મકરપુરા જીઆઈડીસી વગેરે ટાંકી હેઠળના વિસ્તારોમાં ભરચોમાસે પાણીનો કકળાટ થયો હતો ગઈકાલે સાંજે પાણી મળ્યું ન હતું અને આજે સવારે પણ પાણી મળ્યું ન હતું. જેથી લોકોમાં પાણી પ્રશ્ને રામાયણ સર્જાઈ હતી આ ઉપરાંત માંજલપુર ગાજરાવાડી પાણીગેટ અને નાલંદા ટાંકી વિસ્તારમાં કામગીરીની અસરને લીધે પાણીનું લો પ્રેશર રહ્યું હતું.

(5:31 pm IST)