Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મહિસાગર જીલ્લાની ઘટના

સાપ કરડતા ગુસ્સામાં આવી તેને બટકા ભર્યાઃ બંનેના મોત થયા

અમદાવાદ, તા.૧૭: રાજયનાં મહિસાગર જિલ્લામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જયાં એક સાપે એક વ્યકિતને ડંખ માર્યો હતો. જેના બદલામાં તે વ્યકિતએ પણ સાપને બચકું ભરી લીધુ. જેના પછી બંન્નેનાં મોત થયા. વડોદરાથી ૧૨૦ કિલોમીટર દૂર સંતરામપુર તાલુકાથી અજણવા ગામની આ ઘટના છે. આ મામલા વિશે જાણી સૌ કોઇ દંગ રહી ગયા છે.

ખરેખર અજણવા ગામના સરપંચ કાનૂ બારિયા અનુસાર, એક ખેતરમાં ટ્રક પર મક્કઇ ભરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક સાપ તેમાથી નીકળીને બહાર આવ્યો. ત્યાં હાજર તમામ લોકો સાપને જોઇ ભાગવા લાગ્યા પરંતુ ૬૦ વર્ષીય એક આધેડ તેવું કહીને ત્યાં જ હાજર રહ્યા કે, તેમને ઘણા સાપો પકડયા છે.

સાપનાં બહાર નીકળતા જ બારિયાએ સાપને પકડી લીધો અને સાપે તેમના મોં અને હાથ પર ડંખ માર્યો, જેના કારણે આધેડે ગુસ્સામા આવી સાપને જ બચકા ભર્યા અને તે બંન્ને મોતને ભેટયા. આ પછી ગામનાં જ એક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે તે આધેડને લઇ જવામાં આવ્યા અને તેમની હાલતમાં કોઇ સુધાર ન જણાતા તેમને ગોધરા રેફર કરવામાં આવ્યા પરંતુ શરિરમાં ઝેર ફેલાઇ જવાના કારણે તેમનું પણ મોત નિપજયું.(૨૩.૪)

(12:02 pm IST)