Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વિદ્યાનગરમાં કોન્ટ્રાક્ટરને અજાણ્યા શખ્સો દ્વારા વોટ્સએપ પર જાનથી મારી નાખવાની ધમકી મળતા તપાસ શરૂ

વિદ્યાનગર: ખાતે રહેતા અને મકાન બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વોટ્સએપ પર જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી ધર્મેશભાઈ મધુભાઈ લીંબાચીયા ગત ૧૪મી તારીખના રોજ બપોરના બે વાગ્યાના સુમારે સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલા પ્રાપ્તી સર્કલ પાસે હતા ત્યારે તેમના મોબાઈલ ઉપર ૯૭૨૫૪-૪૪૦૪૭ નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો જેમાં ગંદી ગાળો લખીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ અવાર-નવાર ફોન કરીને તેમજ મેસેજો મોકલીને ધમકીઓ આપવાનું ચાલુ જ રાખતા તેઓએ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. 

(6:17 pm IST)